(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પનામા પેપર લીક્સે દુનિયાભરના મોટા મોટા નેતાઓ અંગે વિસ્ફોટક ખૂલાસા કર્યા હતા. આ કૌભાંડનો પર્દાફાશ કરનાર જે પત્રકારે દુનિયાભરના રાજનીતિક અને ઉદ્યોગ જગતને હચમચાવી દીધું હતું. તે પત્રકાર ડૈફની કૈરૂઆના ગલિજિયાનું બોમ્બ ધડાકામાં મોત થયું છે. તેમનું મોત માલ્ટામાં થયેલા બોમ્બ ધડાકામાં થયું. તેણે જે દસ્તાવેજો તેના બ્લોગ દ્વારા ખુલ્લા પાડ્યા હતા તેને વાંચનારની સંખ્યા તેના દેશના અગ્રીમ અખબારના વાચકો કરતા પણ વધારે હતી.
સોમવારે બપોરે ગલીજિયાની કાર પર બોમ્બ ઝીંકાયો. જેમાં તેની કારના ફૂરચા ઊડી ગયા. તેના ટુકડા મેદાનમાં ફેલાઈ ગયા. તેની ઓળખ વિકલીક્સ જેવી થઈ ગઈ હતી. તેમણે હાલમાં માલ્ટાના પ્રધાનમંત્રી જોસેફ મસ્કર અને તેના બે કારોબારીઓ અંગે ખુલાસો કર્યો હતો. જો કે ગલિજિયા પર હુમલાની કોઈ જૂથે જવાબદારી લીધી નથી પરંતુ માલ્ટાના રાષ્ટ્રપતિ મરી લૂઈસ કોલેરોએ શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બાદ લોકોને શાંતિની અપીલ કરું છું જ્યારે દેશ આ ઘટનાથી ચક્તિ છે. એવા સમયે મારી પાસે શબ્દો નથી. તેથી લોકોને કોઈપણ પગલું નહીં ભરવા અપીલ કરી છે. આ બોમ્બ ધડાકા બાદ એકાએક બોલાવેલ પ્રેસ કોન્ફરન્સ બાદ મસ્કરે કહ્યું કે તમામ લોકો જાણતા હતા કે કૈરૂઆના ગલિજિયા તેમની કટ્ટર વિરોધી હતી. આ ઘટનાને યોગ્ય ઠરાવાય નહીં. એક એક હિંસક હુમલો છે. તેમણે કહ્યું કે હુમલાની તપાસમાં એફબીઆઈ પણ પહોંચી રહી છે.
માલ્ટાની પત્રકારના પુત્રએ કહ્યું કે, ભ્રષ્ટાચાર ખૂલ્લો કરવાના કારણે માતાની હત્યા થઈ
(એજન્સી) માલ્ટા, તા.૧૭
માલ્ટાની શ્રેષ્ઠ શોધકર્તા પત્રકાર ગાલીઝિયાના પુત્રએ કહ્યું છે કે, રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા બદલ તેની માતાની હત્યા કરાઈ હતી. તેણીએ માલ્ટાના રાજકારણીઓના ભ્રષ્ટાચાર પર બ્લોગ લખ્યો હતો. પુત્રએ કહ્યું કે, મારી માતાની ઉપર હુમલો એટલે થયો કે મારી માતા કાયદાના માર્ગ પર હતી જ્યારે કેટલાક તેનું ઉલ્લંઘન કરતા હતા. તેમ મેથ્યુ કેરૂઆનાએ જણાવ્યું હતું. તેણી એકમાત્ર વ્યક્તિ હતી કે આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી શકે તેવી હિંમત હતી. તે માતાના બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુના સમાચાર સાંભળી ઘટનાસ્થળે પહોંચ્યો તો તેને ફક્ત સળગી ગયેલી કાર અને માતાના શરીરના ટુકડા જોવા મળ્યા. આ ઘટના બીડનીજા ગામ પાસે પહેલીવાર બની હતી.