Gujarat

પોતાના અંગત સ્વાર્થ ખાતર અને આર્થિક લાભ મેળવવા મતોનું વિભાજન કરતાં કોંગ્રેસ ઉમેદવર પરાજિત થયો

(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૯
આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર સમાજના કેટલાક કહેવાતા આગેવાનો દ્વારા ભાજપ અને એનસીપીને મતો અપાવતા કોંગ્રેસના ઉમેદવારનો માત્ર ૧૮૮૩ મતથી પરાજય થયો હતો. જેને લઈને મુસ્લિમ સમાજમાં આવા કહેવાતા આગેવાનો વિરૂદ્ધ ઉગ્ર આક્રોસ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર ઉમરેઠ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કપીલાબેન ચાવડા, ભાજપના ગોવિંદભાઈ પરમાર અને એનસીપીના જયંત પટેલ બોસ્કી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ગત રાજ્યસભાની ચૂંટણીમાં એનસીપીના ધારાસભ્ય તરીકે જયંત પટેલ બોસ્કીએ અહેમદ પટેલને મત આપ્યો ન હતો, જેથી મુસ્લિમ નેતા અહેમદ પટેલને મત નહીં આપનાર જયંત પટેલ બોસ્કી વિરૂદ્ધ મુસ્લિમ સમાજમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો હતો, તેમ છતાં કેટલાક કહેવાતા મુસ્લિમ આગેવાનો અને એક મુસ્લિમ આચાર્ય સહિતના કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ અને હિત માટે સમગ્ર સમાજનાં હિતને કોરાણે મુકીને એનસીપીનો પ્રચાર કરી મતો અપાવ્યા હતા. ઉમરેઠ શહેરમાં પણ કેટલાક કહેવાતા મુસ્લિમ આગેવાનોએ આર્થિક લાભ મેળવવાના અને પોતાનાં અંગત સ્વાર્થ માટે લાજ સરમ નેવે મુકીને ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો જેનાં કારણે કેટલાક મુસ્લિમ મતો બગડતા આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કપીલાબેન ચાવડાનો માત્ર ૧૮૮૩ મતે પરાજય થયો હતો અને ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારનો વિજય થતા ઉમરેઠના કેટલાક કહેવાતા મુસ્લિમ આગેવાનો પોતાની લાજ શરમ નેવે મૂકી તેમજ ઈસ્લામ અને શરીયતના દુશ્મન પક્ષના ઉમેદવારને જીતના વધામણા આપવા તેમના ઘરે પહોંચી ગયા હતા, અને ભાજપના જીતેલા ઉમેદવારને ફૂલોના હાર પહેરાવી અભિનંદન આપ્યા હતા તેમજ વધામણા આપતા ફોટાઓ પણ પડાવ્યા હતા. આ ફોટાઓ ગત રાત્રે જ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો સોશિયલ મીડિયામાં આ કહેવાતા મુસ્લિમ આગેવાનો પર ફિટકાર વરસાવી રહ્યા છે અને આવા આગેવાનો વિરૂદ્ધ રોષ પ્રવર્તી રહ્યો છે.
મુસ્લિમ સમાજનો શિક્ષિત વર્ગ માની રહ્યો છે કે હવે મુસ્લિમ યુવાનોએ સંગઠિત થઈને પોતાના અંગત સ્વાર્થ માટે મુસ્લિમ મતોમાં ભાગલા પડાવીને પોતાનો સ્વાર્થ સાધતા કહેવાતા આગેવાનોને સમાજની વચ્ચે ખુલ્લા પાડવા પડશે અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમાજનો એક પણ મત બગડે નહીં અને તેના કારણે કટ્ટરવાદી ઉમેદવારો જીતીને લોકસભામાં જઈને ઈસ્લામ અને શરીયતને કોઈ નુકસાન કરે નહીં તે માટે અત્યારથી જ જાગૃત બનવું પડશે અને જો આવા કહેવાતા આગેવાનો પોતાનું સ્વાર્થીપણું ત્યજે નહીં તો આવા આગેવાનો અને કાર્યકરોનો સામાજિક બહિષ્કાર કરવો પડશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.