(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.૨૫
પ્રાંતિજના તાજપુર કૂઇથી વેપારીને વિશ્વાસમાં લઇ કારમાં બેસાડી લઈ જઈ તેનું અપહરણ કરી તેની પાસે રહેલ ૧૧૫૦ ની લુંટ કરી ગડદાપાટુ નો માર મારી ૫૦ લાખ ની ખંડણી માંગી ૧૦ લાખની ખંડણી લઈને વેપારી ને મુક્ત કર્યો હતો. પ્રાંતિજના તાજપુર કૂઇ ખાતે રહેતાં સુશીલકુમાર રામકુમાર શર્મા ઉ.વર્ષ-૩૭ કે જેઓનું કિષ્ણા એન્જીનીયરીંગ વર્કસ નામનું ટ્રેકટર ટ્રેઇલર તથા ટેન્કર બનાવવાનું કારખાનું છે ત્યારે અપહરણ કારીઓ ગ્રાહકના વેશમાં આવી પહેલા વેપારી ે ફોન દ્વારા કહ્યું કે તમે કર્યાં છો મારે ત્રણ ટેન્કર બનાવવાનાં છે પછી વેપારી ને ફોન કરી પ્રાંતિજ ત્રણ રસ્તા બોલાવી વેપારી તેની બોલરો ગાડી જીજે-૯- બીબી-૧૪૪૨ સાથે લઇ આવી તેમાં બે માણસ બેસી ગયાંને આગળ ભીલોડા તરફ લઈ જઇ કોતરો જેવાં વિસ્તારમાં ગાડી ઉભી રખાવી ચાર અપહરણ કરતાઓ ભેગાં થઈને તેના ફોન છીનવી તેની પાસે રહેલ પર્સ લઈને તેમા રહેલ ૧૧૫૦ કાઢી લઇ ને લુંટ કરી તથા અન્ય ત્રણ જણાએ વેપારી ને હાથપગ બાંધી ગડદાપાટુ નો મારમારી મારી નાંખવાની ધમકી આપી વેપારી પાસે ૫૦ લાખની ખંડણી માંગી અને વેપારી ને તેના ફોન દ્વારા જાતે તે ધરે તથા સંધાસબધીઓ પાસે ખંડણી ની રકમ પેટે રૂપિયા માંગવાની વાત કરતા વેપારીએ ધરે તથા મિત્રો પાસે અપહરણ કારીઓના બોલાયા પ્રમાણે રકમ માંગતા તેવોના મિત્ર પાસે રજુઆત કરતાં વડવાસા ના પ્રહલાદભાઇએ એટલી રકમ તો નહીં થાય પણ આજુ બાજુ માં થઇ દશ લાખ ની વાત કરતાં અપહરણ કરતાં માની ગયાં હતાં અને વેપારી ને કીધું અમે કહીએ તેમ તુ ફોન કર કે હું થોડું કામ છે જેથી મારા સંબધીઓને તમારે ત્યાં મારી બોલરો ગાડી લઈને મોકલું છું તમે આપી દેજો તેવું ફોન ઉપર કહેવડાવી અપહરણ કરતાઓએ વેપારી સુનીલ કુમાર ને તેવોની ઇકો કારમાં લઈ ને બેસી રહ્યાં અને બે જણાં વડવાસા ખાતે થી વેપારી ના મિત્ર ના ધરે થી દશ લાખ લઇ આવી ને તેને તેની ગાડી બોલેરો સાથે છોડી મુકયો હતો તો બંધક વેપારી તેના કારખાને પહોચી તેના ભાઇઓ તથા મિત્રો સંધાસબધીઓ ને વાત કરતા પરીવાર તથા સંગાસંબધીઓ ચોકી ઉઠયા હતાં અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં દોડી આવ્યાં હતાં અને ફરીયાદી કારખાનાં માલિક સુનીલકુમાર શર્મા ની ફરીયાદ ના આધારે રાકેશ તથા અન્ય ત્રણ સહિત ચાર અંજાવ્યા અપહરણ કારો સામે પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પી.આઇ.વી.આર.ચાવડા દ્વારા હાથ ધરવામા આવી છે.