(સંવાદદાતા દ્વારા) પ્રાંતિજ, તા.ર
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુકત ભારત કાર્યક્રમ અન્વયે પ્રાંતિજને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા સંકલ્પપત્ર સાથે કાપડની થેલી નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે “સીંગલયુજ પ્લાસ્ટિક મુકત ભારત” ના જન આંદોલન ની શરૂઆત કરવા અંગે કરેલા આહવાનને લઇને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ પટેલ સમાજની વાડી ખાતે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત “પ્લાસ્ટીક મુકત ભારત” કાર્યક્રમનું આયોજન બીજી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ દિપસિહ રાઠોડ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા બેકના ચેરમેન મહેશભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ, પાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલ સહિત કોર્પોરેટરો ભાજપ કાર્યકરો તથા નગરના આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો આ પ્રસંગે ઉપસ્થિત સોવકોઇ એ સ્વચ્છતાના શપથ લીધા હતા તો પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ તથા પાલિકા ચીફઓફિસર વિશાલભાઇ પટેલ દ્વારા વેપારીઓને તથા ઉપસ્થિત નગરજનોનેને પ્લાસ્ટિકની થેલીઓ ના રાખવા અને ઉપયોગ ના કરવા સૌનેે અપીલ કરી હતી. ઉપસ્થિતોને નગરજનો વેપારીઓને કાપડની થેલીઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.