(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
હિન્દુઓએ અત્યાર સુધી જેને પણ સેનાપતિ બનાવ્યા છે તે તમામ ગદ્દાર નિકળ્યા છે. રામમંદિર યુવાનોને રોજગાર, મોંઘવારી, દરેકના ખાતામાં ૧પ-૧પ લાખ રૂપિયા જેવા સપના બતાવીને સત્તાના કેન્દ્રસ્થાને પહોંચેલા વડાપ્રધાન, ભાજપ અને આરએસએસએ જવાબ આપવાની જરૂર છે.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે મોરબીમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે તેમણે હાજર રહેલા લોકોને આગામી દિવસોમાં દેશમાં હિન્દુઓની સરકાર બનાવવાની વાત કરી હતી અને તેના માટેના આયોજનની બ્લુ પ્રિન્ટ પણ બતાવી હતી સાથોસાથ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ ઉપર પણ ઘણા પ્રહારો કર્યા હતા. વિશ્વ હિંદુ પરિષદમાંથી જુદા થઈને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની રચના કરનારા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આજે મોરબીમાં સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે આગામી દિવસોમાં લોકસભાની ચુંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને તેમણે દેશભરમાં સંગઠનને મજબુત કરવા માટેની જે કવાયત શરૂ કરી છે તેના ભાગ રૂપે મોરબીમાં પણ નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. હાજર રહેલા લોકોને સંબોધતા તોગડિયાએ કહ્યું હતું કે, અત્યાર સુધી હિન્દુઓએ જેને પણ સેનાપતિ બનાવ્યા છે તે તમામ ગદ્દાર નીકળ્યા છે. દેશમાં રામ મંદિર બનશે, દરેક યુવાનને રોજગાર મળશે, ખેડૂતોને આત્મહત્યા નહી કરવી પડે, મોંઘવારી કાબુમાં આવશે, દરેકના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા આવશે તેવા સપના બતાવીને સત્તાના કેન્દ્ર સ્થાન સુધી પહોચેલા દેશના વડાપ્રધાનને આડે હાથે લેતા તેમણે કહ્યું હતું કે, ચુંટણી પહેલા દેવાલય બનાવવાની વાતો કરનારાએ ચુંટણી બાદ “પહેલે શૌચાલય ફિર દેવાલય”નો રાગ કેમ શરૂ કરી દીધો ?
હિન્દુઓએ જેને પણ સેનાપતિ બનાવ્યા તે તમામ ગદ્દાર સાબિત થયા : તોગડિયા

Recent Comments