(એજન્સી)
બ્યૂનસ આયર્સ, તા. ૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં જી-૨૦ શિખર સંમેલનથી ઇતર સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કર બંને દેશો વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને વીજ સંબંધોને પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો. બંને પક્ષોએ ટેકનિકલ, નવીનીકરણ ઉર્જા અને ખાદ્ય સુરક્ષામાં રોકાણ વધારવા પર પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીએ ટિ્વટર પર લખ્યું કે, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે સાર્થક વાત થઇ છે. અમે ભારત-સઉદી અરબના સંબંધોના અનેક પાસાઓ અને આર્થિક, સાંસ્કૃતિક અને ઉર્જા સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાના ઉકેલો પર ચર્ચા કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ટિ્વટમાં કહ્યું કે, રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે આર્જેન્ટિનામાં થઇ રહેલી જી-૨૦ શિખર સંમેલનથી ઇતર તેમની સાથે મુલાકાત કરી હતી. ટેકનોલોજી, આધારભૂત સંરચના, પેટ્રોલિયમ, નવીનીકરણીય ઉર્જા, ખાદ્ય સુરક્ષા, ફિટનેસ અને સુરક્ષા ક્ષેત્રે સઉદીના રોકાણ વધારવા અંગે ચર્ચા થઇ છે. આ ઉપરાંત મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેઝ સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદી અને ગુતારેઝે વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનને પહોંચી વળવા ભારતની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. પીએમઓ સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ બેઠકનું પ્રતીક છે કે, બંને નેતાઓ જળવાયુ પરિવર્તનના મુદ્દે ઘણું મહત્વ આપે છે. બંને વચ્ચે આ બેઠક પોલેન્ડના કેટોવિસમાં કોપ-૨૪ની યોજાનારી બેઠકના એક અઠવાડિયા પહેલા થઇ છે.