Sports

પંજાબ-હૈદરાબાદ આજે ટકરાશે

હૈદરાબાદ,તા. ૨૫
હૈદરાબાદના મેદાન પર આવતીકાલે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ ખેલાશે. કિંગ્સ ઇલેવન ટીમ હાલમાં પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ ટીમે પાંચ મેચોમાં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં તેની હાર થઇ છે. તે પોઇન્ટ ટેબલમાં સૌથી આગળ રહેવા માટે તૈયાર છે. અશ્વીનના નેતૃત્વમાં આ ટીમમાં અનેક સ્ટાર ખેલાડી છે. બીજી બાજુ સનરાઇઝે પણ સારો દેખાવ કર્યો છે. સનરાઇઝે છ મેચો પૈકી ચારમાં જીત મેળવી છે અને તેની બે મેચોમાં હાર થઇ છે. તે જોતા આ મેચ પણ તે જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કિગ્સ ઇલેવનમાં ગેઇલ ફોર્મમાં આવી જતા હવે આશા વધી ગઇ છે. યુવરાજ સિંહ હજુ સુધી ધારણા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. આ ઉપરાંત સૌથી શક્તિશાળી ખેલાડી ફિન્ચ પણ હજુ સુધી ફ્લોેપ રહ્યો છે. હૈદરાબાદમાં મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી છે. હજુ સુધીની મેચો ખુબ દિલધડક રહી છે. કારણ કે તમામ મેચોના પરિણામ છેલ્લી આવરમાં આવ્યા છે. ગઇકાલે રમાયેલી મેચમાં પણ મેચ છેલ્લા ઓવર સુધી પહોંચી હતી. જો કે અશ્વિન અને વિલિયમસન વધારે શાનદાર દેખાવ કરીને પોતાની ટીમને સરળ જીત અપાવવા માટે તૈયાર છે. હૈદરાબાદ મેદાન પર હાઉસફુલનો શો રહી શકે છે. મેદાન પરની તમામ ટિકિટો વેચાઇ ગઇ હોવાનો દાવો કરાયો છે. મેચનુ પ્રસારણ ગુરૂવારે રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.