અમદાવાદ, તા.૧૦
પ્રવાસીઓની સુવિધા માટે અને દૂર્ગાપુજા, દિવાળી તથા છઠના તહેવારો દરમિયાન અધિક ધસારાને પહોંચી વળવા રેલવેએ રાજકોટ-સંતરાગાછી-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ચાર્જીસ સાથે સુપરફાસ્ટ એસી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય થયેલ છે. (કુલ ૧૦ ટ્રીપ) રાજકોટ-સંતરાગાછી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન તા.૨૪ સપ્ટેમ્બરથી ૨૬ નવેમ્બર, ૨૦૧૭ સુધી-પ્રત્યેક રવિવારે ટ્રેન નં.૦૨૮૩૩ રાજકોટ-સંતરાગાછી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ઉપર જણાવેલ સમયગાળા માટે રાજકોટથી પ્રત્યેક રવિવારે રાત્રે ૨૨ઃ૨૦ કલાકે ઉપડશે અને મંગળવારે સાંજે ૧૬ઃ૩૫ કલાકે સંતરાગાછી પહોંચશે. સંતરાગાછી-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ૨૨ સપ્ટેમ્બરથી ૨૪ નવેમ્બર, ૨૦૧૭ સુધી પ્રત્યેક શુક્રવારે ટ્રેન નં.૦૨૮૩૪ સંતરાગાછી-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ઉપર જણાવેલ સમયગાળા માટે સંતરાગાછીથી પ્રત્યેક શુક્રવારે રાત્રે ૨૧ઃ૦૫ કલાકે ઉપડશે અને રવિવારે બપોરે ૧૩ઃ૪૫ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભુસાવળ, મલ્કાપુર, અકોલા, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદિયા, દૂર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રૂરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશનો પર બંને તરફ ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ થર્ડ એસી કોચીસ રહેશે. આ ટ્રેનનું પ્રવાસીઓ માટેનું બુકિંગ તમામ આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર તા.૧૨ સપ્ટેમ્બરથી થશે તેમ પશ્ચિમ રેલવેની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Recent Comments