(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૧
રાજ્યમાં છેલ્લા પંદરેક દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદે સાર્વત્રિક વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન માંડ ૩૮ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં ઓલપાડ, પેટલાદ, ઉમરપાડા, તારાપુર, વિસાવદર અને વાંસદા મળી છ તાલુકામાં ૧ ઈંચથી વધુ અને ૩ર તાલુકામાં અડધો ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૮૦.પર ટકા વરસાદ પડી ચૂક્યો છે. જે પૈકી પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં સો ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭ઃ૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૦.પર ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત રિજિયનમાં ૧ર૧.૪ર ટકા અને સૌથી ઓછો પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૪.૪૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ રિજીયનમાં ૮૩.૯૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮.૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૪.૭પ ટકા જેટલો વરસાદ થયો છે. રાજ્યમાં થયેલા સરેરાશ વરસાદની જિલ્લાવાર વિગતો જોઈએ તો કચ્છ જિલ્લામાં ૮૩.૯૩ ટકા, પાટણ જિલ્લામાં ૧૪ર.૭ર ટકા, બનાસકાંઠા જિલ્લામાં ૧૬૯.૩૦ ટકા, મહેસાણા જિલ્લામાં ૯૬.૪૦ ટકા, સાબરકાંઠા જિલ્લામાં ૧૦૧.૩૯ ટકા, અરવલ્લી જિલ્લામાં ૭૯.૪૪ ટકા, ગાંધીનગર જિલ્લામાં ૧ર૧.૪ર ટકા, અમદાવાદમાં ૮૧.૧૪ ટકા, ખેડા જિલ્લામાં ૭૬.૪૬ ટકા, આણંદ જિલ્લામાં ૬ર.૮૬ ટકા, વડોદરામાં ૪૬.૧પ ટકા, છોટાઉદેપુરમાં ૪૭.૮૯ ટકા, પંચમહાલ જિલ્લામાં ૬૮.૪૬ ટકા, મહિસાગર જિલ્લામાં ૬પ.૬૯ ટકા, દાહોદ જિલ્લામાં ૬૪.ર૬ ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ૧ર૬.૭ર ટકા, રાજકોટ જિલ્લામાં ૯૧.૬૪ ટકા, મોરબી જિલ્લામાં ૧પ૦.ર૬ ટકા, જામનગર જિલ્લામાં ૮ર.૧૯ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૭૦.૬૧ ટકા, પોરબંદર જિલ્લામાં પ૩.૮ર ટકા, જૂનાગઢ જિલ્લામાં પ૬.૮૭ ટકા, ગીરસોમનાથ જિલ્લામાં ૭૯.૦૭ ટકા, અમરેલી જિલ્લામાં ૬ર.૧૮ ટકા, ભાવનગર જિલ્લામાં પ૦.પપ ટકા, બોટાદ જિલ્લામાં ૮૭.પ૧ ટકા, ભરૂચ જિલ્લામાં ૬૩.૮૪ ટકા, નર્મદામાં ૬૧.૪૭ ટકા, તાપી જિલ્લામાં પ૩.૯૦ ટકા, સુરતમાં ૮પ.૦૧ ટકા, નવસારી જિલ્લામાં ૬૬.૪૦ ટકા, વલસાડમાં ૮૧.૩૩ ટકા, ડાંગમાં ૬૪.૭પ ટકા જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના ર૦૩ જળાશયો પૈકી પ૦ જળાશયોને હાઈએલર્ટ, ર૦ જળાશયોને એલર્ટ અને ર૩ જળાશયોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના ર૦૩ જળાશયોમાં ૮૮૦૯.૯૮ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧ર૦.૬૯ મીટરની જળસપાટીએ પહોંચ્યો છે. જે ૯પ.૭૭ ટકા જેટલો ભરાયો છે.