Ahmedabad

રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી વધુ ૬ના મોત, ૧૮૪ નવા કેસ નોંધાયા

અમદાવાદ,તા. ૮
ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુ અથવા તો એચ૧એન૧ના કારણે વધુ છ લોકોના મોત થયા છે. આની સાથે જ સ્વાઇન ફ્લુના કારણે આ વર્ષે મોતનો આંકડો વધીને ૪૦૧ સુધી પહોંચી ગયો છે જ્યારે જાન્યુઆરીથી લઇને સપ્ટેમ્બર સુધી સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા ૬૪૯૩ નોંધાઈ ગઈ છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, છેલ્લા ૧૫ દિવસના ગાળામાં જ ૨૯૩૮ દર્દીઓને સાજા કરી દેવામાં આવ્યા છે જ્યારે હજુ સુધી ૫૨૯૩ દર્દીઓને સજા કરવામાં આવ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ સપ્તાહની સરખામણીમાં હવે સાપ્તાહિક આધાર પર કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. શનિવારના દિવસે ૧૨ જિલ્લા અને એક મ્યુનિસિપલમાં કોઇપણ કેસ નોંધાયો ન હતો જ્યારે ચાર જિલ્લાઓમાં એક કેસ નોંધાયો હતો. ૨૦૦૯ બાદથી મોતનો આંકડો ૧૭૩૩ સુધી પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મોતનો આંકડો અવિરતરીતે વધી રહ્યો છે. હજુ પણ ઘણા લોકો સ્વાઈન ફ્લુની સારવાર લઇ રહ્યા છે જ્યારે કેટલાક લોકો ઓક્સિજન પર અને કેટલાક લોકો બાયપેપ ઉપર છે. હજુ પણ અનેક દર્દી વેન્ટીલેટર પરહોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. સરકાર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. કિલર સમાન સાબિત થઇ રહેલા અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને પોતાના સકંજામાં લઇ રહેલા સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ ૬ લોકોના મોત થયા છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગોમાં સ્વાઈન ફ્લુથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. સરકારી આંકડા દર્શાવે છે કે, છેલ્લા ૨૨ દિવસના ગાળામાં સ્વાઈન ફ્લુના કારણે ૧૫૮ના મોત થઇ ચુક્યા છે. સરકારી તંત્ર સાચા આંકડા બહાર ના આવે અને લોકોમાં સ્વાઇન ફુલની સાચી પરિસ્થિતિ ખુલ્લી ના પડી જાય તે હેતુથી સાચી આંકડાકીય માહિતી પણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમછતાં સ્વાઇન ફલુના મામલે સરકાર અને સત્તાવાળાઓની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જ ગઇ છે. ખુદ સરકારી તંત્રના દાવા મુજબ, રાજયભરમાં સ્વાઇન ફુલને લઇ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં અત્યારસુધીમાં શંકાસ્પદ જણાતાં હજારો વ્યકિતઓને પ્રોફાઇલેકટીક સારવાર હેઠળ આવરી લેવાયા છે. રાજયમાં હાલ સ્વાઇન ફલુના સેંકડો દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી અનેક દર્દીઓ વેન્ટીલેટર પર છે. સ્વાઈન ફ્લુને લઇને ભારે ખળભળાટ જારી રહ્યો છે. સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આંકડા પરથી આ બાબત સ્પષ્ટ થઇ જાય છે. ઘણા દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ હોવાથી મોતનો આંકડો વધવાની દહેશત છે.
સ્વાઈન ફ્લુનો કહેર
ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે કહેર જારી રહ્યો છે. વધુ ૬ના મોત થયા છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે સ્વાઈન ફ્લુનો કહેર નીચે મુજબ છે.
ગુજરાતમાં વધુ મોત ૦૬
ગુજરાતમાં નવા કેસ ૧૮૪
ગુજરાતમાં મોતનો આંકડો ૪૦૧
ગુજરાતમાં કેસોની સંખ્યા ૬૪૯૩
ગુજરાતમાં માત્ર ૨૨ દિવસમાં મોત ૧૫૮
મેડિકલ ટીમો દ્વારા સર્વે ૧૪૦૦૦
૨૦૦૯ બાદથી મોત ૧૭૩૩
છેલ્લા ૧૫ દિવસમાં સાજા થયેલા લોકો ૨૯૩૮
હજુ સુધી ડિસ્ચાર્જ લોકો ૫૨૯૩