(એજન્સી) તા.રર
બે મુસ્લિમ યુવકો સિરાજખાન અને શકીલ પર કરવામાં આવેલા ઘાતકી હુમલા પછી મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં કોમી તંગદિલી પ્રવર્તી રહી છે. આ હુમલામાં સિરાજખાનનું મૃત્યુ થયું હતું. જ્યારે શકીલની હાલત અત્યંત ગંભીર છે. આ હુમલા માટે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો પ્રમાણે આ ચાર આરોપીઓમાંથી એક આરએસએસનો પ્રચારક છે. એક સ્થાનિક પત્રકારે જણાવ્યું હતું કે જ્યારથી આ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી હિન્દુ જમણેરી સંગઠનો મુસ્લિમ વસાહતો પર હુમલા કરી રહ્યા છે અને પોલીસ નિષ્ક્રિય છે.
મધ્યપ્રદેશમાં મુસ્લિમ યુવકની હત્યા બદલ ધરપકડ કરાયેલ આરોપીઓમાં આરએસએસનો પ્રચારક પણ સામેલ

Recent Comments