માહે શવ્વાલ રમઝાન ઈદના ચાંદ અંગે પણ રમઝાનના ચાંદની જેમ મોડે સુધી સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું. ભારતમાં ક્યાંય ચાંદ દેખાયા અંગેની ગવાહી કે ખબર મળી ન હતી પરંતુ ભરૂચના કેટલાક વિસ્તારમાં ચાંદ દેખાયાની જાહેરાત થતા મોડે સુધી અહમદાબાદની ગુજરાત ચાંદ કમિટીમાં ભારે કશ્મકશ જેવી પરિસ્થિતિ હતી. જો કે ગુજરાત ચાંદ કમિટીમાં મોડે સુધી કોઈ સત્તાવાર ગવાહી ન મળતા ચાંદ કમિટીના પ્રમુખ મુફ્તી શબ્બીર અહમદ સિદ્દીકીએ શુક્રવારે ૩૦મો રોઝો થશે અને શનિવારે ઈન્શાઅલ્લાહ ઈદ થશે તેવી જાહેરાત કરી હતી.