અમદાવાદ, તા.૨૪
દ્વારકા જિલ્લાના બરડિયા ગામ ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮’ને દેશનું સૌથી મોટું જળ અભિયાન ગણાવી તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં ઉમેર્યું હતું કે, તરસી ધરતીને તૃપ્ત કરવા માટે આરંભાયેલું આ અભિયાન તેના અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્યભરની જનતાની આ અભિયાનમાં થઇ રહેલી સામેલગીરી રાજ્યસરકાર માટે પ્રોત્સાહક પૂરવાર થઇ રહી છે. મુખ્યમંત્રીએ ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮’ પક્ષાપક્ષીથી પર રહીને રાજ્યની સિત્તેર ટકા જનતાના કલ્યાણ માટે ઉપાડેલા આ અભિયાન થકી આવનારી પેઢી લાભાન્વિત થશે, જે આ યોજનાની સૌથી મોટી સફળતા સાબિત થશે. રાજયના નાગરિકોને વગર રોયલ્ટીએ માટી આપવાની આ યોજનાને લોકોમાં સાંપડી રહેલા પ્રતિસાદ બદલ મુખ્યમંત્રીએ નાગરિકોનો ખરા દિલથી આભાર પ્રગટ કર્યો હતો અને આ અભિયાનથી થનારા ભવિષ્યના લાભો વર્ણવ્યા હતા અને પાણીના પુર્નવપરાશ અંગે રાજય સરકાર દ્વારા ટૂક સમયમાં જ નવી નીતિ ઘડવામાં આવશે,એવો અણસાર પણ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દ્વારકા જિલ્લામાં મે માસ દરમિયાન સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ અન્વયે કામો થયેલ છે, અને ૪૩પ કામો પ્રગતિમાં છે. ૧૧ નહેરોની સફાઇ કરવામાં આવી છે. ૮૭૨ એર વાલ્વ નિરીક્ષણ અને ૮૭૨ સ્ટ્રકચર સફાઇના કામો કરવામાં આવી રહયા છે.
સુજલામ સુફલામ જળ અભિયાન એ ભારતનું સૌથી મોટું જળ અભિયાન

Recent Comments