(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સુરત ફાયર બ્રિગેડ વિભાગની વિવિધ ટીમોએ શહેરના વિવિધ ૮ ઝોનમાં કાર્યરત એવા ૧૬ કોમર્શિયલ મોલમાં ફાયર સેફટીની સુવિધા અંગેની તપાસ શરૂ કરતા સમગ્ર પંથકમાં ફફડાટ છવાઈ ગયો હતો. જો કે, કેટલાય મોલમાં ફાયર સેફટીની સુવિધા ન જોવા મળતા તેઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું ચીફ ફાયર ઓફિસર બસંતલાલ પરીકે જણાવ્યું હતું.
આજે સવારે ફાયર બ્રિગેડ વિભાગે શહેરના જે ૮ ઝોનમાં કોમર્સિયલ મોલો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોટા વરાછા, સેટેલાઈટ રોડ, ધારા આર્કેડ, અનુપમ સ્કવેર, અમરોલી-છાપા ભાઠા, લક્ષ્ય પ્લાઝા, ન્યુ આઈકોન પ્લાઝા, એલ.પી. સવાણી રોડ, પિરામીડ સ્કવેર અડાજણ ગુજરાત ગેસ સર્કલ, ક્રિષ્ણા કોમ્પલેક્ષ અલથાણ-ભીમરાડ કેનાલ, શિવ સોમેર એન્કલવે, સૂર્યા રેસિડેન્સી રિચમંડ પ્લાઝા (વેસુ), નાનપુરા નાવડી ઓવારા જલદર્શન એપાર્ટમેન્ટ, ભાગળ- કાંસકીવાડ, રીધમ પ્લાઝા, ડીંડોલી ઓમનગર રંગીલા પાર્ક, ડીંડોલી ખરવાસા રોડ ઉમા પ્લાઝા, ઉધના દરવાજા માઈલ સ્ટોન વાયબ્રન્ટ ઉન મેઈન રોડ, પ્લેટેનિયમ પ્લાઝા, યોગીચોક, વરાછા રોડ, એપલ સ્કવેર, એમેઝીંગ સ્ટોર હોવાનું ખૂલ્યું હતું.