(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત પહેલા અમદાવાદમાં ઝૂંપડપટ્ટી છુપાવવા માટે દીવાલ બનાવાઈ હતી એ પછી સરકારે બીજો પ્રોજેકટ હાથ ધર્યો. સરકારે તાજમહેલની અંદર આવેલ બે કબરોની પ્રતિકૃતિઓને કલે-પેક ટ્રીટમેન્ટ દ્વારા સાફ કરાવ્યું છે.
૩૦૦ વર્ષોમાં પહેલી વખત બન્યું છે કે કબરોની પ્રતિકૃતિઓને સાફ કરાઈ હોય આ ટ્રીટમેન્ટમાં માટીની જોડી પરત મુકાય છે અને એ પછી એને શુદ્ધ પાણીથી ધોઈ નાખવામાં આવે છે. આ કલે-પેક મૂળ રીતે ફેસપેક જેનું છે જેનો ઉપયોગ મોટે ભાગે ભારતીય મહિલાઓ ગૌરવર્ણી દેખાવા માટે કહે છે જો કે તાજમહેલને પાંચ વખત કલે-પેક ટ્રીટમેન્ટથી સાફ કરવામાં આવ્યું છે પણ કબરોની પ્રતિકૃતિઓને કયારે પણ સાફ કરવામાં આવી નથી. આ પ્રતિકૃતિઓની નીચે મોગલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝની મૂળ કબરો છે. ટ્રમ્પ પોતાના કુટુંબ સાથે ભારતની મુલાકાતે આવ્યા છે. તેઓ ખરી કબરની મુલાકાત નહીં પણ લઈ શકે કારણ કે એ કબરોનો પ્રવેશ દ્વાર ફકત પાંચ ફૂટની ઉંચાઈ ધરાવે છે અને અંદર જવા માટે ઝુકવું પડે છે. ટ્રમ્પની સુરક્ષા સંભાળનાર ટીમે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઝુકીને પ્રવેશ નહીં કરશે ભલે એ કબર ૧૭મી સદીની છે. કબરોની ઉપર મુકાયેલ ઝુમ્મરો પણ સાફ કરવામાં આવ્યા છે. તાજમહેલની સંભાળ રાખનાર એએસઆઈએ સમગ્ર તાજમહેલની દીવાલો, ફર્શ ઉપરના ઘેરા ધબ્બાઓ દૂર કરવાની કામગીરી કરી છે.
તાજમહેલના ગુંબજો ૩૦૦ વર્ષોમાં પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પ માટે સાફ કરાયા

Recent Comments