(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧
વલસાડ જિલ્લો આદિવાસી અને મજદૂર વર્ગની વસ્તી ધરાવે છે. આ જિલ્લામાં સરકારી દવાખાનામાં હોસ્પિટલોમાં દર્દીઓ માટે પૂરતી સુવિધા તથા સાધનો નથી. અહીંની પ્રજા તથા નેતાઓને નાગરિકોના આરોગ્યની કોઈ ચિંતા નથી. જેને કારણે વાપી શહેરમાં ટ્રસ્ટોની હોસ્પિટલો ખાનગી હોસ્પિટલોની જેમ લૂંટ ચલાવી રહી છે અને નાગરિકો પાસે જો સારવાર દરમિયાન રૂપિયા ખૂટી જાય તો પોતાના સ્વજનોને મરતા જોવા પડે છે.
વાપી શહેરમાં જેમાં મજદૂર કર્મચારીઓ, આદિવાસીઓ, કંપનીઓમાં કામ કરનાર મધ્યમ ગરીબ વર્ગના પરિવારોની સારવાર માટે સરકાર તરફથી વાપી શહેરની ર.પ લાખની વસ્તીની સામે જે દવાખાનું બનાવેલ છે તે દવાખાનું-હોસ્પિટલ દમણ રોડ-ચલા ગામમાં ર કિ.મી. અંદર આવેલ છે. આ હોસ્પિટલ વિશાળ જગ્યામાં ૩ માળની બનેલ છે. આ દવાખાનામાં એક્સ-રે મશીન, સોનોગ્રાફી, લેબોરેટરી તથા દવાની સુવિધા છે. સેવાભાવિ ડોક્ટરો છે પરંતુ વાપી શહેરના નેતાઓને ગરીબ, મધ્યમ વર્ગના દર્દીઓનું દુઃખ દેખાતું નથી અને તેઓએ આ દર્દીઓની, ગરીબોની આદિવાસીઓની સારવાર માટે આ દવાખાનું વાપી-પશ્ચિમ દમણ રોડ ચલા ગામમાં આટલું અંદર બનાવેલ છે. રિક્ષા ભાડંુ ૧૦૦થી ૧પ૦ રૂપિયા થાય છે અથવા સ્પેશિયલ રિક્ષા અથવા મોટર સાયકલ હોય તો જ તમે ત્યાં સારવાર માટે જઈ શકો છો. ગરીબ દર્દીઓને દમણ જઈને આવવાના ૪૦ રૂા. અને સેલવાસ કોટેજ હોસ્પિટલ જવા આવવાના ૬૦ રૂા. થાય છે તે સસ્તું પડે છે. તેથી આ દવાખાને આવવાનું કેન્સલ કરે છે. અહીં લાખો-કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવેલ છે તેનો ઉપયોગ પોસ્ટમોર્ટમ માટે જ વધારે થાય છે અથવા મજબૂરીથી દર્દીઓ દાખલ થવા માટે આવે છે અથવા ન છુટકે ટ્રસ્ટોના દવાખાને મોંઘા ભાવની સારવાર કરાવે છે. ૧૦૮ના દર્દીઓ પણ અહીં નથી આવતા અને મજબૂરીથી ટ્રસ્ટોના દવાખાને જાય છે અને ફાયદો ટ્રસ્ટના દવાખાનાના સંચાલકોને થાય છે.
આ દિવાળીના દિવસે સેવાભાવિ ડોક્ટર નિરજે દર્દીઓને દવાખાનામાં હાજર રહી પોતાની સેવા આપીને સેવાભાવિ ઉદાહરણ પૂરું પાડેલ હતું. તો વાપીના નાગરિકોની સેવા માટે વાપી પૂર્વમાં જીઆઈડીસી આવેલ છે અને ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગની વસ્તી ૧.પ લાખની આવેલ છે તો સરકારી હોસ્પિટલ વાપી પૂર્વમાં ગૂંજન તરફ અથવા ચનોદ તરફ જો કરવામાં આવે તો અહીં વસતા ગરીબ વર્ગના દર્દીઓને ફાયદો થાય અને સારવાર મેળવી શકે. તે બાબતે વાપીના અગ્રણીઓ અને નેતાઓ વિચારશે ?