મોરબી, તા.રપ
મોરબી જિલ્લાના એકમાત્ર નવલખી બંદર પર ૧૯૨ કરોડના ખર્ચે અદ્યતન જેટીનું નિર્માણ થશે અદ્યતન જેટીનું નિર્માણ કાર્ય બે વર્ષના સમયગાળામાં પુર્ણ કરવાનુ આયોજન છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંજૂરી આપી છે જેટીના નિર્માણ બાદ વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપિસિટીમાં વધારો થશે નવલખી પોર્ટ પર નવી જેટી બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વારંવાર રજૂઆતો કરી હતી જે બાદ સરકારે પણ હવે નવી જેટીના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. આ જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રૂ.૧૯ર.૩૩ કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે નવલખી બંદર ખાતે આ અંતર્ગત ૪૮૫ મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે નવલખી બંદરની પ્રવર્તમાન કેપેસિટી ૮ એમએમટીપીએ છે તે વધારીને ૨૦ એમએમટીપીએ કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે આના પરિણામે બંદરની હાલની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાર્ષિક ૧૨ એમએમટીપીએ વધારો કરવાનું આયોજન છે ગુજરાત રાજ્યનું નવલખી બંદર ૧૯૩૯થી કાર્યરત છે આ બંદરની વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરેથી ગુજરાત ઉત્તર ભારત મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે હાલ નવલખી બંદર પર કુલ ૪૩૪ મીટર લંબાઈની જેટીઓ આવેલી છે જેના પરથી ગુજરાત મેરીટાઇમ બોર્ડ વાર્ષિક ૧૧.૮૫ એમએમટી કાર્ગોની હેરફેર કરે છે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા સાગરમાલા પ્રોજેક્ટનો પણ આ નવલખી બંદરને લાભ મળશે તે અંતર્ગત ૧૦૦ મીટરની જેટી માલસામાનના આંતરરાજ્ય દરિયાઇ પરિવહન માટે વિકસાવવામાં આવશે નવલખી બંદર બ્રોડગેજ રેલવે તેમજ રોડથી દેશના બધા સ્થળો સાથે સારી રીતે જોડાયેલું છે તથા મોરબીમાં આવેલા ઉદ્યોગોને પણ જરૂરી ઇંધણ કોલસો પૂરો પાડે છે આ બંદર પરથી ૧૯૩૯થી મીઠું કોલસો ખાદ્ય પદાર્થો તેમજ અન્ય બીજા માલસામાનનું વહન થાય છે તેમાં થઈ રહેલા ઉત્તરોત્તર વધારાને જોતા આ નવી જેટીનો મહત્તમ ફાયદો થશે ગુજરાત મેરીટાઇમ બોર્ડનું આ નવલખી બંદર લાઇટરેજ પોર્ટ છે તેમ છતા તેના વ્યૂહાત્મક સ્થળને કારણે કંડલા તેમજ મુન્દ્રા બંદરને હરીફાઇ પૂરી પાડે છે નાના વેપારીઓ ટ્રેડર્સને માલસામાનની આયાત નિકાસ કરવા માટેની સહુલિયત સાથેનું પ્રથમ પસંદગીનું બંદર છે મુખ્યમંત્રીએ રાજ્યના ૧૬૦૦ કિ.મી સમુદ્રકિનારાને અને સાગરકાંઠે આવેલા નાના-મોટા બંદરોને આધુનિક ઢબે વિકસાવી ગુજરાતને સામુદ્રિક વેપારનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાથે બંદરો-જેટીના નવિનીકરણને પ્રાધાન્ય આપ્યું છે.