નવી દિલ્હી, તા.૧૫
બીસીસીઆઈ હવે ભારતીય ક્રિકેટ ટીમની આગેવાનીમાં મોટો ફેરફાર કરી શકે છે. સૂત્રો પ્રમાણે વિશ્વકપમાં ભારતની હાર બાદ બીસીસીઆઈ રોહિત શર્માને વનડે અને ટી૨૦નો કેપ્ટન બનાવી શકે છે. તો વિરાટ કોહલીને માત્ર ટેસ્ટ ટીમના કેપ્ટન પદે યથાવત્ રાખવામાં આવી શકે છે.
જો આમ થયું તો ભારતીય ક્રિકેટમાં મોટો ફેરફાર આવી શકાય છે. સાથે વિરાટ કોહલી માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, ટીમને સારી બનાવવા માટે ફેરફારની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે.અધિકારીએ કહ્યું, ‘આ યોગ્ય સમય છે કે રોહિત શર્મા ૫૦ ઓવર ફોર્મેટનું સુકાન સંભાળી લે અને તે તેના માટે માનસિક રૂપથી તૈયાર રહે. તેના માટે વર્તમાન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે પણ સમર્થન કરવું જોઈએ. પરંતુ અધિકારીએ વર્તમાન કેપ્ટન વિરાટ અને વાઇસ કેપ્ટન રોહિત વચ્ચે વિવાદની અફવાઓને નકારી દીધી હતી.’અધિકારીએ કહ્યું, ‘હવે સમય જૂની વસ્તુ પર વાતો કરવાનો નથી, પરંતુ આગળ વધવાની તૈયારીનો છે. આ સમય છે કે અમારે હવે આગામી વિશ્વકપની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નવી રીતે ટીમની તૈયારી પર વિચાર કરવો જોઈએ અને નવી યોજનાઓ બનાવવી જોઈએ. અમે જાણીએ છીએ કે ટીમને ફરી નવી રીતે જોવા અને કેટલાક વિશેષ ક્ષેત્રમાં ફેરફારની જરૂર છે. રોહિત તેના માટે સૌથી સારો વિકલ્પ હોય શકે છે.’
બીસીસીઆઈ કોહલી-રોહિત શર્મા વચ્ચે પડેલી તિરાડ અંગે તપાસ કરશે

Recent Comments