ઈદ-ઉલ-અઝહા પયગમ્બર હ.ઈબ્રાહીમ (અ.સ.) અને અલ્લાહની આજ્ઞાનું પાલન કરવા માટે પોતાના પુત્રનું બલિદાન આપવા માટેની એમની તત્પરતાનું સ્મરણ કરાવે છે. અલ્લાહ ત્આલાએ તે સમયે પયગમ્બર હ.ઈબ્રાહીમ (અ.સ.)ના પુત્રના સ્થાને કુરબાની માટે દુંબો ઉતાર્યો હતો. વિશ્વના ખૂણે-ખૂણે રહેલા મુસ્લિમ બિરાદરો ઈદ-ઉલ-અઝહાના દિવસે ઘેટા, બકરા, ગાય અને ઊંટની કુરબાની આપીને તથા ગરીબોને દાન આપીને મિત્રો અને પરિવારની સાથે આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે લોકો પોતાના પ્રિયજનોની કબર પર જતા પણ જોવા મળે છે તથા મુસ્લિમ બિરાદરો પોતાના સગાવ્હાલા માટે ભેટ-સોગાદ અને નવા કપડા પણ ખરીદતા જોવા મળે છે. આ તહેવારે મક્કામાં પાંચ દિવસના અરકાનો કુરબાની સાથે પુરી થાય છે.
પ્રથમ તસવીર કુવૈત સિટીની અલ સાદિક મસ્જિદની છે જ્યાં એક કુવૈતી મુસ્લિમ બુઝુર્ગ ઈદની નમાઝ દરમ્યાન દૂઆ માગી રહ્યા છે. જ્યારે બીજી તસવીર ઈરાનની તહેરાન યુનિવર્સિટી ખાતે ઈદુલ અઝહાની નમાઝ પઢી રહેલી ઈરાની મહિલા દૃશ્યમાન થાય છે.