International

યમનમાં બળવાખોરોના કબજા હેઠળના બંદર પર સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના હુમલાઓમાં ર૦ નાગરિકોનાં મોત

(એજન્સી)                               તા.ર૪

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે યમની રાજધાની સના પર કબજો મેળવવાની બીજી વાર્ષિક તિથિની ઉજવણી બળવાખોરોએ કરી તેના કલાકો બાદ જ સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધન દળોના યુદ્ધવિમાનોએ બળવાખોરોના કબજા હેઠળના યમની બંદરીય શહેર હુદૈદા પર હવાઈહુમલાઓ કર્યા હતા. આ હવાઈહુમલામાં ર૦ નાગરિકો માર્યા ગયા હતા.

સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનનું જેને સમર્થન છે તેવા રાષ્ટ્ર પ્રમુખ અબ્દે અબુ રબ્બુ હાદીની સરકારના એક અધિકારીએ એએફપીને જણાવ્યું હતું કે, આ હવાઈ હુમલાઓનું નિશાન રાતા સમુદ્રના બંદર હુદેદાનો એક અલહુનોદ વિસ્તાર બન્યો હતો. આ હુમલાઓ થયા હોવાનું રાજધાની સના ખાતેના બળવાખોરોના વહીવટી તંત્રએ પણ જણાવ્યું હતું એન જણાવ્યું હતું કે આ હવાઈ હુમલામાં અચોક્કસ સંખ્યામાં નાગરિકો માર્યા ગયા છે. હાદાના વફાદાર અધિકારીએ જણાવ્યું હતંુ કે આ હવાઈહુમલો ભૂલથી રહેણાંક વિસ્તાર પર થઈ ગયો હોઈ શકે છે. આ હુમલાનો ભોગ હુદૈદામાં આવેલ રાષ્ટ્ર પ્રમુખનો મહેલ પણ બન્યો હતો. હુદૈદામાં આવેલ અલ-થાવરા હોસ્પિટલના તબીબ ખાલેદ સુહેલે જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં ૧ર મૃતદેહો તથા ૩૦ ઈજાગ્રસ્તોને લાવવામાં આવ્યા છે. હાદી સરકારના સમર્થનમાં છેલ્લા ૧૮ મહિનાથી કરવામાં આવી રહેલા હુમલાઓના મોટા પ્રમાણમાં નાગરિકોની જાનહાનિ બદલ સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર સઉદીની યમનમાં દરમિયાનગીરી શરૂ થયા બાદથી મોટાભાગે નાગરિકો સહિત ૧૦૦૦૦થી પણ વધુ લોકો માર્યા ગયા છે.

Related posts
International

ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

(એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
Read more
International

પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

(એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
Read more
International

ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *