ભાવનગર, તા.૭
ભાવનગર જિલ્લાના તળાજાના ઈસોરા ગામે રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.ર૧) પર જૂની અદાવતની દાઝ રાખી પીન્ટુ દાનાભાઈ મકવાણાએ દેવલી અને ગોરખી વચ્ચે માર મારતા જયેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે પ્રથમ તળાજા અને વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાયા હતા જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક અને આરોપીને ઈસોરા ગામે મેળામાં પાણીપુરી બાબતે બોલાચાલી થઈ હતી અને તે મામલે જયેશે વિનોદને માર્યો પણ હતો. આ ઘટનાની દાઝ રાખી વિનોદે મોકો જોઈને લાકડી વડે મરણતોલ માર મારતા જયેશનું મૃત્યુ થયું હતું.